Amrut Ayurved Kendra
Amrut Ayurved Kendra
Panchakarma • Dental

થાકનું કારણ પ્રમેહ: આયુર્વેદીય દૃષ્ટિ

Published on 08 Nov 2025Vaidya Mahesh A. Akhani

આજે સાઠ વર્ષ વટાવેલો વ્યક્તિ ઉત્સાહ-સ્ફૂર્તિથી ભરેલો યુવાન જણાય છે, અને સોળથી છત્રીસની ઉંમરનો યુવાન થાકેલો-હારેલો દેખાય છે. બિનકારણ લાગતા થાકને આયુર્વેદે ‘ક્લમ’ કહ્યું છે; છતાં આધુનિકતાના નામે આ થાકને વિટામિન B12 કે વિટામિન Dની ખામી કહી “કાટલાં-છાપ” દવાઓમાં ફિટ કરી દેવાની વૃત્તિ વધતી જાય છે.

આયુર્વેદ કહે છે: ચોક્કસ નિદાન વગર સાચી સારવાર નથી. જઠરાગ્નિ, ધાતુક્ષય, આમદોષ—આ બધાનો વિચાર કરો. પ્રમેહ, આમવાત, અજીર્ણ, જ્વરના ઉપદ્રવમાં પણ વધુ થાક અનુભવાતો હોય શકે. કારણવિનાના થાકનું નિદાન આ રીતે મળી શકે.

પ્રમેહ થવાના કારણો

વધુ બેસી રહેવું, વધુ ઊંઘ, દહીં-દૂધનું અતિ સેવન, નવા અનાજનું સેવન, ગોળ-ખાંડ-સાકરનું અધધ સેવન—આથી પ્રમેહ થાય છે.

પ્રમેહ થાય તે પહેલાંના લક્ષણો

પરસેવો વધુ આવવો, શરીરના અંગોમાંથી ગંધ આવવી, અંગો ઢીલાં પડવું, સુઈ-બેસી-ઊંઘી રહેવાથી થતા સુખની ઇચ્છા, હૃદય/આંખ/જીભ/કાન મેલથી ખરડાયેલા, વજન વધવું, વાળ-નખ વધારે વધવા, ઠંડક ગમવી, ગળું-તાળવું સૂકાવું, મોઢામાં મીઠાશ, હાથ-પગમાં બળતરા; અને મધુમેહ થવાનો હોય તો પેશાબ તરફ કીડીઓ દોડતી જોવા મળે.

આ વાંચીને આશ્ચર્ય થશે—પ્રમેહનો એક પ્રકાર મધુમેહ (ડાયાબિટીસ) છે, પણ બાકીના ૧૯ પ્રકાર વિષે ઘણા નિષ્ણાતોને જાણ નથી—પછી દર્દીનું હિત કેવી રીતે?

પ્રમેહના પ્રકાર

કુલ ૨૦ પ્રકારકફજ ૧૦, પિત્તજ ૬, વાતજ ૪. સામાન્ય રીતે કફજ પ્રમેહ સરળતાથી મટે છે, પરંતુ ઉપર જણાવેલા પૂર્વલક્ષણો ચાલુ રહે તો મટવામાં અડચણ. પિત્તજ પ્રમેહ મુશ્કેલીથી મટે છે અને વાતજ (મધુમેહ) મટતો નથી.

પગની પિંડીમાં દુઃખાવો, બિનકારણ થાક, વજન વધવું કે ઝડપી ઘટવું—આ લક્ષણો અનુભવમાં પ્રમેહ અને થાયરૉઇડિઝમ બંનેમાં જોવા મળે તો…

  1. પ્રમાણસર વ્યાયામ નિયમિત કરો.
  2. હળદર + આમળા નું ચૂર્ણ સમ ભાગે, ભોજન પહેલા પાણી સાથે લો.
  3. વજન ઘટતું હોય તો ધાન્વંતર ઘૃત (ઔષધયોગ્ય ઘી) નિયમિત.
  4. શિલાજીત-યુક્ત ચંદ્રપ્રભાવટી નિયમિત લઈ શકો.
  5. જે કારણથી રોગ થયો તે કારણ દૂર કરવું—મૂળ સારવાર એજ છે.

નિષ્કર્ષ: ‘થાક’ને માત્ર વિટામિનની કમી માનવાથી નહિ—પ્રમેહ સહિત દોષ-આહાર-વiharનો તટસ્થ વિચાર કરીને આયુર્વેદિય નિદાન-ઉપચાર આવશ્યક છે.

Author: "Vaidya Mahesh A. Akhani"

Vaidya Mahesh A. Akhani
Vaidya Mahesh A. Akhani
BAMS, Ayurvedacharya — Senior Ayurved Physician
View profile